દંડ વસૂલ કરવાનું વોરંટ - કલમ : 461

દંડ વસૂલ કરવાનું વોરંટ

(૧) ગુનેગારને દંડની સજા કરવામાં આવી હોય ત્યારે પણ તેવી કોઇ ચુકવણી કરવામાં આવી ન હોય તો સજા કરનાર ન્યાયાલય નીચેની બેમાંથી એક રીતે અથવા તે બંને રીતે દંડની વસૂલાત માટે પગલાં લઇ શકશે એટલે કે તે ન્યાયાલય

(એ) ગુનેગારની કોઇપણ જંગમ મિલકત જપ્તીમાં લઇ તેનું વેચાણ કરીને દંડની રકમ વસૂલ કરવાનું વોરંટ કાઢી શકશે.

(બી) દંડ ન ભરનારની જંગમ કે સ્થાવર મિલકત કે તે બંનેમાંથી જમીન મહેસૂલની બાકી તરીકે રકમ વસૂલ કરવા જિલ્લા કલેકટરને અધિકાર આપતું વોરંટ કાઢી શકશે. પરંતુ સજાના હુકમમાં એવો આદેશ હોય કે દંડ ન ભરાય તો ગુનેગાર કેદની સજા ભોગવવી જોઇશે અને દંડ ન ભરવા તેણે પૂરી સાજ ભોગવી લીધી હોય તો કોઇ ન્યાયાલય એવું વોરંટ કાઢી શકશે નહી સિવાય કે ખાસ કારણોની લેખિત નોંધ કરીને તેમ કરવાનું પોતાને જરૂરી લાગે અથવા દંડમાંથી ખર્ચ કે વળતરની રકમ ચુકવવા માટેની કલમ-૩૯૫ હેઠળનો હુકમ તેણે કરેલ હોય.

(૨) રાજય સરકાર પેટા કલમ (૧) ના ખંડ (એ) હેઠળના વોરંટો બજાવવાની રીત માટે અને એવા વોરંટની બજવણીમાં જપ્તીમાં લીધેલી મિલકત સબંધમાં ગુનેગારો સિવાયની કોઇ વ્યકિતએ કરેલા હકક દાવાનો સંક્ષિપ્ત રીતે નિણૅય કરવા માટેના વિનિયમો કરી શકશે.

(૩) પેટા કલમ (૧) ના ખંડ (બી) હેઠળ ન્યાયાલય જયારે કલેકટરને વોરંટ મોકલે ત્યારે એવું વોરંટ જમીન મહેસૂલની બાકી વસૂલ કરવાને લગતા કાયદા હેઠળ કાઢી આપેલ પ્રમાણપત્ર હોય તેમ એવા કાયદા અનુસાર કલેકટરે રકમ વસૂલ કરવી જોઇશે.

પરંતુ ગુનેગારને પકડીને અથવા જેલમાં રાખીને એવું કોઇપણ વોરંટ પણ બજાવી શકાશે નહી.